બાવળના સીંગોના એવા ફાયદા જે તમે ક્યારેય પણ સપનામાં પણ નહિ વિચાર્યા હોય, વાંચો સંપૂર્ણ જાણકારી
આ પોસ્ટમાં અમે તમને બાવળના સીંગોના ઔષધીય ગુણ અને ફાયદા વિશે જણાવીશું. બાવળ એક કાંટાવાળું ઝાડ હોય છે. તે આફ્રિકા મહાદ્વીપ અને ભારતીય ઉપમ્હાદીપમાં ખાસ કરીને જોવા મળે છે.
બાવળને તમે જરૂર જોયો હશે. તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડ્યે જાતે જ ઉગી જાય છે. જો આ બાવળ નામનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત તો આજે તે લોકો તેની પેટન્ટ કરાવીને દવાઓ બનાવીને આપણી પાસેથી હજારો રૂપિયા લૂટતા હોત. પણ ભારતના લોકોને જે વસ્તુ મફતમાં મળે છે તેની કોઈ કિંમત નથી.
આજે અમે તમને આ બાવળનો એક એવો પ્રયોગ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી જો તમને ગોઠણમાં દુઃખાવો છે કે તેને બદલવા જેવી સ્થિતિ ઉભી થયેલ છે. તો એક વાર ગોઠણ બદલવાને બદલે આ પ્રયોગ જરૂર કરશો.
અમુક ઉંમર પછી શરીરમાં સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઈ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, ગેપ, કેલ્શિયમની ખામી, તમામ તકલીફો સામે આવે છે. જેથી હાલના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. જેમાં ઘણા લોકોને ઓપરેશન પછી પણ દુ:ખાવા મટતા નથી. તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિથી બચાવી શકશે. એકવાર જરૂર કરી જુઓ.
તો આવો જાણીએ આ પ્રયોગને :
પ્રયોગ આ રીતે કરવાનો છે. ‘બાવળ’ ના ઝાડ ઉપર જે ફળી (સીંગો) આવે છે તેને તોડી લાવીને, જો તમને આ શહેર માંથી ન મળે તો કોઈ ગામ જાવ, ત્યાં જેટલી જોઈએ એટલી મળી જશે, બીજ સાથે જ આખી સીંગો સુકવીને પાવડર બનાવી લો. બસ દવા તૈયાર છે.
હવે આવો જાણીએ તેના સેવનની રીત :
સવારે એક ચમચીની માત્રામાં હુફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી, ૨-૩ મહિના સતત સેવન કરવાથી તમને ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઈ શકે છે. અને ગોઠણ બદલવાની જરૂર નહી રહે.
સૌથી પહેલા ગુજ્જુ ફેન ક્લબે જ આ દવા ને ઘણા મહિના પહેલા ફેસબુક પર પોસ્ટ કરેલી અને ત્યારબાદ ઘણા લોકો એ આ વાંચી ને કર્યું અને ખુબ સારું રીઝલ્ટ મળ્યું છે.(જે લોકોને આ દવાથી ફેર પડ્યો હોય તે ફરી થી બધા ની જાણ માટે કોમેન્ટ માં જરૂર જણાવે) એક ભાઈએ તો કહ્યું તેમના ગામ માં ઘરો ઘર આ દવા વપરાય છે અને સારું થવા માંડ્યું છે. શહેરો માં ઘણા લોકો એ આના પાવડર નું પણ વેચાણ કરવા માંડ્યા છે જે ૩૦ રૂપિયા નાં ૧૦૦ ગ્રામ જેવા ભાવે મળે છે. આનાથી વધુ ભાવ કોઈના લે એ એમને વિનંતી છે. (અમે આ પાવડર નથી વેચતા)
અમે હમેશા તમારા માટે નવી નવી જાણકારી લઈને આવીએ છીએ, જેથી તમારું આરોગ્ય જળવાય રહે. અને તમે દવાઓના નામ ઉપર થતી છેતરપીંડીથી બચી શકો, આયુર્વેદ જીવનધોરણને અપનાવો.
આયુર્વેદની દવાઓની કોઈ આડઅસર નથી હોતી બસ એ કરતી વખતે ધીરજ રાખવી જરૂરી છે, કારણ કે આ દુ:ખાવાને પેઈન કીલરની જેમ થોડા સમય માટે દુર નથી કરતી આ સારવારમાં થોડો સમય લાગે છે અને ખુબ સારું પરિણામ મળે જ છે.
ગરમીની ઋતુમાં તેની ઉપર પીળા રંગના ફૂલ ગોળાકાર ગુચ્છામાં આવે છે. અને શીયાળાની ઋતુમાં સીંગો ઉગે છે. બાવળના ઝાડ મોટા અને ઘાંટા હોય છે. તેનું લાકડું ઘણું મજબુત હોય છે.
બાવળના ઝાડ પાણીની નજીક અને કાળી માટીમાં વધુ પ્રમાણમાં મળી આવે છે. બાવળમાં ઘણા પોષક તત્વ અને ખનીજ પદાર્થ મળી આવે છે.
૧૦૦ ગ્રામ બાવળમાં ૧૩.૯૨ ગ્રામ પ્રોટીન, ૬.૬૩ ગ્રામ વસા, ૪.૨૮ mg આયર્ન, ૦.૯૦૨ mg મેગ્નીજ અને ૦.૨૫૬ mg જસ્તા હોય છે.
બાવળના દાંતણ દાંત માટે ઘણા સારા હોય છે. કફ અને પિત્તનો ઈલાજ કરવા માટે બાવળનું ઝાડ ઘણું જ અસરકારક હોય છે. તે મૂત્ર વિકાર, સોજા, દુ:ખાવો, પિત્ત અને ગર્ભાશયના બ્લીડીંગને ઠીક કરવામાં મદદ કરે છે. બાવળના પાંદડા, ગુંદર અને છાલ તમામ વસ્તુ જ કામની હોય છે.
બાવળનો ગુંદર પણ ઘણી બીમારીઓના ઈલાજમાં ઘણો ફાયદાકારક હોય છે. તેનો ગુંદર ઉનાળાની ઋતુમાં એકઠો કરવામાં આવે છે. તેના થડમાં ક્યાય પણ કાપવામાં આવે તો જે સફેદ રંગનો પદાર્થ નીકળે છે તેને ગુંદર કહેવામાં આવે છે.
બાવળના ફાયદા મોઢા સાથે જોડાયેલા ઘણા પ્રકારની સમસ્યા અને સાંધાના દુ:ખાવા દુર કરવા સાથે સાથે સંપૂર્ણ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે આવો જાણીએ કે આપણા શરીરના આરોગ્ય માટે બાવળના ફાયદા શું છે.
બાવળના સીંગોથી આરોગ્યવર્ધક લાભ :
ધાતુ પુષ્ઠી કરે :
ધાતુની પુષ્ઠી માટે બાવળના કાચા સીંગોના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળીને સુકવી લેવામાં આવે છે.
એક વખત સુકાઈ જવાથી તેને ફરી વખત પલાળીને સુકવી લેવામાં આવે છે. તેવી રીતે આ પ્રક્રિયા ૧૪ વખત કરવામાં આવે છે.
એક વખત સુકાઈ જવાથી તેને ફરી વખત પલાળીને સુકવી લેવામાં આવે છે. તેવી રીતે આ પ્રક્રિયા ૧૪ વખત કરવામાં આવે છે.
ત્યાર પછી તે કપડાને ૧૪ ભાગમાં વહેચી લેવામાં આવે છે, રોજ એક ટુકડાને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને પીવાથી ધાતુની પુષ્ઠી થાય છે.
હાડકા તુટવા ઉપર :
બાવળના સીંગોનું ચૂર્ણ એક ચમચીના પ્રમાણમાં સવાર-સાંજ નિયમિત રીતે લેવાથી હાડકા જલ્દી ઠીક થઈ જાય છે.
૬ ગ્રામ બાવળને પંચાંગના ચૂર્ણ મધ અને બકરીના દુધમાં ભેળવીને પીવાથી ત્રણ દિવસમાં જ તૂટેલું હાડકું જોડાવા લાગે છે.
તે ઉપરાંત બાવળના બીજને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે લેવાથી અસ્થી ભંગ દુર થઈ જાય છે અને હાડકા વજ્ર જેવા મજબુત થઈ જાય છે.
કાનના રોગો માટે :
બાવળના ફૂલને સરસિયાના તેલમાં નાખીને તાપ ઉપર પકવવા મૂકી ડો. પાકી ગયા પછી તેને તાપ ઉપરથી નીચે ઉતારીને મૂકી દો. આ તેલના બે ટીપા કાનમાં નાખવાથી મવાદનું વહેવું સારું થઈ જાય છે.
કમરના દુ:ખાવામાં આરામ આપે :
કમરમાં દુ:ખાવો થવા ઉપર બાવળની છાલ, સીંગો અને ગુંદર સરખા ભાગે ભેળવીને વાટી લો. એક ચમચીના પ્રમાણમાં દિવસમાં ૩ વખત સેવન કરવાથી કમરના દુ:ખાવામાં આરામ મળે છે.
તે ઉપરાંત બાવળના ફૂલ અને સજ્જી સરખા ભાગે ભેળવીને સવારે સૂર્ય ઉગતા સમયે ૧ ગ્રામના પ્રમાણમાં ખાવાથી કમરના દુ:ખાવામાં આરામ મળે છે.
પેશાબનું વધુ આવવાને દુર કરે :
પેશાબ વધુ આવવાની તકલીફ થવા ઉપર બાવળના કાચા સીંગોને છાયામાં સુકવીને તેને ઘીમાં ટાળીને પાવડર બનાવી લો. આ પાવડર ને ૩-૪ ગ્રામના પ્રમાણમાં રોજ સેવન કરવાથી પેશાબ વધુ આવવો બંધ થઈ જાય છે.
પથારીમાં પેશાબ કરવા ઉપર :
પથારીમાં પેશાબ કરવા વાળા બાળકો માટે પણ તે ઘણી અસરકારક ઔષધી માનવામાં આવે છે.
તેના માટે બાવળના કાચા સીંગોને છાયામાં સુકવીને, ઘી માં શેકીને તેમાં સાકર ભેળવીને ૪-૪ ગ્રામના પ્રમાણમાં સવારે અને સાંજે ગરમ દૂધ સાથે પીવાથી પથારીમાં પેશાબ કરવાનો રોગ ઠીક થઈ જાય છે.
દસ્ત (અતિસાર) માં આરામ આપે :
બાવળના સીંગો, આંબળા અને જાયફળના બીજની રાબ બનાવીને પીવી જોઈએ. આ રાબ પીધા પછી તમે જેટલી વખત પણ પાન ખાશો એટલી વખત જ દસ્ત થશે.
અતિસારને ઠીક કરવા માટે બાવળના ૮-૧૦ કુણા પાંદડાને જીરું અને અનારની કળીઓ સાથે ૧૦૦ મી.લી. પાણીમાં વાટી લો, હવે આ પાણીને ૨ ચમચી સવારે, બપોરે અને રાત્રે રોગીને પીવરાવવાથી દસ્તનો રોગ દુર જ થઈ જાય છે.
વાળના આરોગ્ય માટે :
બાવળના પાંદડા વાળના આરોગ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. વાળનું ખરવું નિયંત્રણમાં લેવા માટે, માથા ઉપર બાવળના પાંદડાની પેસ્ટ લગાવો.
સારા પરિણામ માટે સારી ગુણવત્તા વાળા શેમ્પુ સાથે ૨૫ મિનીટ પછી વાળ ધોઈ લો. હંમેશા તમારા વાળ ધોવા માટે હુફાળા પાણીનો ઉપયોગ કરો.
સાંધાના દુ:ખાવા ઠીક કરે :
બાવળનો ઉપયોગ સાંધાના દુ:ખાવા દુર કરવા માટે ઘણો જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ઉપયોગ કરવા માટે તમે બાવળના સીંગોને તડકામાં સુક્વી તેનો પાવડર બનાવી લો.
તૈયાર આ પાવડરને દિવસમાં ૨ થી ૩ વખત ગોઠણ ઉપર લગાવતા રહેવાથી ગોઠણનો દુ:ખાવો તરત જ દુર થઈ જશે.
વધુ પરસેવો આવવાની સમસ્યાથી છુટકારો આપે :
જો તમારા શરીર માંથી ઘણો જ વધુ પરસેવો આવે છે, અને લુછી લુછીને થાકી જાવ છો તો બાવળ તમારા માટે ઘણો જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જો તમારા શરીર માંથી ઘણો જ વધુ પરસેવો આવે છે, અને લુછી લુછીને થાકી જાવ છો તો બાવળ તમારા માટે ઘણો જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તેના માટે તમે બાવળના પાંદડા વાટીને આખા શરીર ઉપર લગાવો અને થોડા સમય પછી સ્નાન કરી લો આમ કરવાથી થોડા જ દિવસો પછી તમને વધુ પરસેવો આવવાનો બંધ થઈ જશે.
શરીરને શક્તિશાળી બનાવે :
બાવળના સીંગોને છાયામાં સુકવી લો અને તેમાં સરખા ભાગે સાકર ભેળવીને વતી લેવામાં આવે છે.
આ તૈયાર ચૂર્ણને એક ચમચીના પ્રમાણમાં સવાર-સાંજ નિયમિત રીતે પાણી સાથે સેવન કરવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે, અને તમામ નબળાઈ વાળા રોગ દુર થઈ જાય છે.
એસીડીટી માટે :
બાવળના પાંદડાની રાબ બનાવીને તેમાં ૧ ગ્રામ આંબાનો ગુંદર ભેળવી લેવામાં આવે છે.
આ ઔષધીય રાબને સાંજે બનાવવામાં આવે છે અને સવારે પીવામાં આવે છે.
આ રાબને સાત દિવસ સુધી સતત સવારે પીવાથી એસીડીટીમાં ઘણો લાભ મળે છે.
આ રાબને સાત દિવસ સુધી સતત સવારે પીવાથી એસીડીટીમાં ઘણો લાભ મળે છે.
કમળા માટે :
કમળો થવા ઉપર બાવળના ફૂલને સાકર સાથે ભેળવીને ઝીણું વાટીને ચૂર્ણ તૈયાર કરી લો.
પછી આ ચૂર્ણની ૧૦ ગ્રામની ફાંકી રોજ આપવાથી જ કમળાનો રોગ મટી જાય છે.
શુક્રાણુંની ખામી ને દુર કરે :
બાવળના પાંદડાને ચાવીને તેની ઉપર ગાયનું દૂધ પીવાથી થોડા જ દિવસોમાં ગરમીના રોગમાં રાહત થાય છે.
તે ઉપરાંત બાવળના કાચા સીંગોનો રસ દૂધ અને સાકર ભેળવીને ખાવાથી શુક્રાણુંઓની ખામી દુર થાય છે.
إرسال تعليق