*નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.*
એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ શરુ થયું ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપૉર્ટ આવ્યા, હવે તેઓ તે આંખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહેવામાં આવ્યું....મિત્રો એવું શક્ય નથી..
તો મિત્રો આપણુ શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે...ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે અને એટલે જ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.
ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે...
નાભિ ની પાછળ ના ભાગ માં "પેચોટી" હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિનિઓની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે.
નાભિમાં ગાયનું શુદ્ધ ઘી અને તેલ લગાડવાથી ઘણાબધા શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે.
1.આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો ..
સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ .
2. ઘૂંટણના દર્દમાં*
સુતા પહેલા ત્રણ થી સાત ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ.
3. શરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવું તથા સુકી ત્વચા ના ઉપાય માટે*
રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ.
4. મોઢા ઉપર તથા વાંસામાં થતા ખીલ માટે*
લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા નાભિમાં ઉપર મુજબ નાખવું.
*નાભિમા તેલ નાખવાનુ કારણ*
નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે, એટલે એમાં એ તેલ ને પસાર કરીને નાખે છે.
જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરત જ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ કામ છે.
*ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરવો જેથી ઘી અને તેલ નાખવુ સરળ રહે .*
આપણા સ્નેહીજન , મિત્રો , પરિજનો , તથા સર્વ પરિચિતો સાથે નાભિ માં ઘી, તેલ ના ઉપયોગ અને એના ફાયદા શેર કરો..
યોગ આચાયૅ
*હરીશભાઈ વૈદ* *વડોદરા*
દીપક ગજ્જર { આયુર્વેદ અને હર્બલ }કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.
~~~~~~~~~~~~~~
R1.00 અથવા તેથી ઓછા ખર્ચે તમારી કિડની સાફ કરો
~~~~~~~~~~~~~~
વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા તથા રક્તને ફિલ્ટર કરી રહી છે.
લાંબા સમયે મીઠું કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.
આપણે આને સાફ કરવાની દરકાર કરી છે?
અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.
તાજા લીલા ધાણા (કોથમરી) ની એક ઝૂડી લો અને તેને સાફ કરો. તે નાના ટુકડાઓમાં સમારીને તે પોટ માં મૂકો. શુધ્ધ પાણીમાં દસ મિનિટ માટે ઉકાળો. પછી તે ઠંડું થવા દો.
તેને ગરણીથી ગાળી લો. ઠંડુ કરી સ્વચ્છ બોટલમાં ભરી અને તેને ઠંડું કરી રેફ્રિજરેટરમાં રાખો.
તેમાંથી દરરોજ એક ગ્લાસ સવારે નરણે કોઠે પીઓ.
અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી જોશો.
તમે પોતે તેનો તફાવત પરખી શકશો.
તાજા લીલાં ધાણા CORINNDER કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી છે!
إرسال تعليق