ઓશો રજનીશજી ના ખુબસુંદર વાક્યો

જયારે મારુ મૃત્યુ થશે તો
તમે મારા
પરિવારજનોને મળવા આવશો
અને મને ખબર પણ નહિ પડે તો
હમણાં જ આવી જાવો ને મને મળવા.

જયારે મારુ મૃત્યુ થશે
તમે મારા બધા ગુનાઓ
માફ કરી દેશો
જેની મને ખબર પણ નહિ પડે તો
આજે જ માફ કરી દો ને. 


જયારે મારુ મૃત્યુ થશે ત્યારે

તમે મારી કદર કરશો અને
મારા વિષે સારી સારી વાતો કરશો
જે હું સાંભળી નહિ શકુ તો
હમણાં જ બોલોને.

જયારે મારુ મૃત્યુ થશે ત્યારે
તમને થશે કે માણસ
ઘણો સારો હતો એની સાથે
થોડો વધુ સમય વિતાવ્યો હોત તો
સારુ થાત તો
આજે જ આવી જાઓ ને. 

એટલા માટે કહું છું કે
રાહ નહિ જુઓ
રાહ જોવામાં ક્યારેક
બહુ મોડુ થઇ જાય છે..!!

એટલા માટે સગા-સબંધીઓ અને મિત્રોને કોઈ પણ જાતની અપેક્ષા અને અભિમાન રાખ્યા વિના...
મળતા રહો, બોલતા રહો, હસતા રહો..😊

Post a Comment

Previous Post Next Post