સોપારીને પૂજા .....| Areca

ભારતમાં લોકો વર્ષોથી સોપારીનો ઉપયોગ માઉથ ફ્રેશનરના રૂપમાં કરતા આવ્યા છે.
સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક અવસરો ઉપર તેની એક ખાસ જગ્યા રહી છે.

સોપારીને પૂજા સામગ્રીના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

સોપારી આયુર્વેદમાં અનેક પેટના રોગો જેવા કે ગેસ, સોજો, કબજિયાત, પેટના કીડા વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે.

સોપારીમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીનની સાથે જ મિનરલ્સ પણ મોજૂદ હોય છે.

સાથે જ ટૈનિન, ગેલિક ઍસિડ અને લિગનિન પણ જોવા મળે છે.
Areca | Sopari


સોપારીની આ ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને આજે જાણીએ કે સોપારીના ઉપયોગ બીમારીના ઉપચારમાં કઈ રીતે કરવામાં આવે છે.


આ પાવડરમાં લીંબુ રસના 5 ટીપા નાખો અને એક ગ્રામ કાળુ મીઠું મેળવી લો.

રોજ દિવસમાં બે વાર આ મિશ્રણથી પોતાના દાંતની સફાઈ કરો.

-સોપારી પચવામાં ભારે, ઠંડી, રૂક્ષ અને તુરી હોય છે.

-જુની અને પાકેલી સોપારી કફ અને પિત્ત દુર કરે છે.

-સોપારી કામોત્તેજક હોય છે, તેમ જ પેશાબની વિકૃતીમાં લાભકારક છે.

શેકેલી સોપારી ત્રણે દોષ દુર કરે છે.

-ચીકણી સોપારીનું દોઢ ગ્રામ ચુર્ણ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ મટે છે.

-સોપારીના ચુર્ણ વડે પકાવેલા તેલની માલીશ કરવાથી કટીવાત (બૅકપેઈન) મટે છે.

-ખાવામાં સોપારીની માત્રા ૧/૨ થી ૧ ગ્રામ જેટલી જ હોવી જોઈએ.

-કૃમી થયા હોય તો સોપારીનો ભુકો ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ-ચાર વાર લેવો.

-વધુ પડતી સોપારી ખાવાથી ઉધરસ થાય છે, લકવો કે મોંનું કેન્સર પણ થઈ શકે છે.

ડાયાબિટીસને કારણે અનેક લોકો વારંવાર મુખ સૂકાઈ જવાની સમસ્યા થાય છે.

જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો જ્યારે પણ મુખ સૂકાઈ જાય ત્યારે સોપારીનો એક ટુકડો મુખમાં રાખો.

એવા લોકોને આ સ્થિતિથી બચવા માટે સોપારી ખૂબ જ મદદ કરે છે, કારણ કે ચાવવાથી મોટી માત્રામાં સ્લાઈવા બહાર આવે છે.
Sopari | Areca
તેને કારણે તેનો ઉપયોગ દાંતનો સડો રોકવા માટે પણ મંજનના રૂપમાં કરવામાં આવે છે.

દાંતમાં કીડા થઈ ગયા હોય ત્યારે સોપારીને બાળીને તેનું મંજન બનાવી લો.

એક સંશોધન પ્રમાણે એ વાત સામે આવી છે કે સોપારીમાં રહેલ ટૈનિન નામનું તત્વ એન્જિયોટેનસિન હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં ઉપયોગી છે.

તે સિવાય સોપારી ઉપર થયેલા એક સંશોધન પ્રમાણે એ વાત સામે આવે છે કે તેને ચાવવાથી તણાવ મહેસૂસ થતો નથી.

તેનું બારિક ચુર્ણને લગાવવાથી પણ લોહી આવવાનું બંધ થઈ જાય છે.

સોપારી સ્કિન પ્રોબ્લેમને દૂર કરવામાં ખૂબ જ મદદગાર હોય છે.

દાદર, ખુજલી, ખાજ અને ચકામા થાય ત્યારે સોપારીને પાણીની સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થાય છે.

Share and Read

Post a Comment

Previous Post Next Post